અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટમાં વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજનું નવીનીકરણ થઈ રહ્યું છે. અમદાવાદના રેલવે સ્ટેશનના આધુનિકરણના ભાગરુપે સારંગપુર અને કાલુપુર ઓવરબ્રિજને પહોળો કરવામાં આવશે. આ બંને ઓવરબ્રિજને પહોળો કરવા માટે ખર્ચ થનાર રકમમાં 50 ટકા રકમ રાજ્ય સરકાર આપશે. આ માટે રાજ્ય સરકાર 220 કરોડ રૂપિયા રેલવેને ફાળવવાની મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેય સાથે રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ સહિતના કામોથી નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ વધારવા માટે પ્રાથમિકતા આપી છે. તેમાં અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજના ફોર-લેન સહિતના નવીનીકરણના કામો માટે રાજ્ય સરકારના ફાળા તરીકે મુખ્યમંત્રીએ આ નાણા ફાળાવ્યાં છે.