રાહી ફાઉન્ડેશનના ઉપક્રમે જયેશ પરીખ લિખિત ચતુર્થ પ્રેરણાત્મક પુસ્તક “સુખનો સૂર્યોદય” નું વિમોચન અમદાવાદ મેનેજમેંટ એસોશિએશન ખાતે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જહાં, ગુજરાત રાજ્યના માહિતી કમિશનર નિખિલ ભટ્ટ અને જાણીતા પત્રકાર ભવેન કચ્છીના વરદ હસ્તે અને 250 વિવિધ ક્ષેત્રના સામાજિક પ્રતિસ્ઠિત આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું. સાથોસાથ રાહી ફાઉંડેશનના અધ્યક્ષ જયેશ પરીખ દ્વારા સંસ્થાનો લોકોપયોગી પ્રવુત્તિનો અહેવાલનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ઉપરોક્ત પુસ્તકની પ્રસ્તાવના પદ્મ દેવેન્દ્ર પટેલ દ્વારા લખવામાં આવી છે. જયેશ પરીખનું સન્માન મહેમાનો દ્વ્રારા કરવામાં આવ્યું હતું. રાહી ફાઉંડેશનના ટ્રસ્ટી નિહારિકા પરીખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ટીમ રાહી, પાર્મી દેસાઇ અને કુણાલ પરીખ દ્વ્રારા સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. રાહી ફાઉંડેશનના દાતાઓ તથા કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાજના અગ્રણી સર્વશ્રીરમણલાલ પટેલ, નિતિન પારેખ, રાજર્ષિ પરીખ, પ્રમોદ શાહ, અજિત શાહ, શૈલેષ ઠાકર, કૈલાસભાઈ બુચ અને રોનક શોધન ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના સમાપન સમયે “સુખનો સૂર્યોદય” પુસ્તકની ભેટ આપવામાં આવી હતી અને સાત્વિક ભોજન બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો.