જેટ એરવેઝ બાદ હવે આર્થિક સંકટમાં ફસાયેલી એરલાઇન કંપની ગો ફર્સ્ટ પણ હવે ઉડાન ભરી શકશે નહીં. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ગો ફર્સ્ટને લિક્વિડેશન કરવાનો આદેશ આપ્યો છે. ગો ફર્સ્ટે 17 વર્ષ સુધી કરોડો લોકોને હવાઈ મુસાફરી પૂરી પાડી હતી. આનો અર્થ એ થયો કે કંપનીએ તેની સંપત્તિ વેચીને તેનું દેવું ચૂકવવું પડશે.
નાણાકીય સમસ્યાઓના કારણે, એરલાઈને મે 2023 માં સ્વૈચ્છિક નાદારી ઉકેલ પ્રક્રિયા માટે અરજી કરી હતી. ગો ફર્સ્ટની કામગીરી 3 મે, 2023થી એટલે કે લગભગ બે વર્ષથી બંધ છે. એનસીએલટીએ 15 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, કંપની ગો એરલાઈન્સના લિક્વિડેશનનો ઓર્ડર આપી રહી છે. હવે કમિટી ઓફ ક્રેડિટર્સ પાસે ગો ફર્સ્ટની રચના પછી અને રિઝોલ્યુશન પ્લાનની પુષ્ટિ થાય તે પહેલા કોઈપણ સમયે તેના લિક્વિડેશન અંગે નિર્ણય લેવાનો અધિકાર છે.