આજે ભારત પોતાનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. 76 વર્ષ પહેલા આ તારીખે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં કર્તવ્યપથ પર થતી પરેડ અને ટેબ્લો લોકોને આકર્ષિત કરે છે. શું તમે જાણો છો કે ગણતંત્ર દિવસની પહેલી પરેડ કર્તવ્યપથ (પહેલા રાજપથ) પર નહોતી થઈ. દિલ્હીમાં પ્રથમ પ્રજાસત્તાક દિવસની પરેડ રાજપથને બદલે ઇરવીન સ્ટેડિયમમાં યોજાઇ હતી, જે હાલ હવે નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.26 જાન્યુઆરી 1950 એ ગણતંત્ર દિવસની પ્રથમ પરેડ સાંજે નીકળી હતી. આ પ્રથમ પરેડ ઈરવિન સ્ટેડિયમમાં યોજાઈ હતી.
1955 થી દર વર્ષે રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. 26 જાન્યુઆરી 1950ની સવારે 10.18 મિનિટે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યુ. બરાબર 6 મિનિટ એટલે કે 10 વાગવાને 24 મિનિટ બાદ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. તેમને ત્યારના ચીફ જસ્ટિસ હીરાલાલ કનિયાએ શપથ અપાવ્યા હતા. જે બાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે હિંદી અને અંગ્રેજીમાં ભાષણ આપ્યુ હતુ.
પ્રથમ પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય અતિથિ કોણ હતું?
પ્રથમ પ્રજાસત્તાક દિને વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ગવર્નર જનરલ સી રાજગોપાલાચારી ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.