પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે થયેલી નાસભાગ બાદ સરકાર હરકતમાં આવી છે. મહાકુંભમાં નાસભાગની ઘટનામાં 20થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. જે મુજબ મેળામાં આવવા-જવા માટેના રસ્તા અલગ કરવામાં આવ્યા છે. સરકારે પાંચ મોટા ફેરફાર કર્યા છે. હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી કોઈપણ વાહનને અંદર જવાની પરવાનગી નહીં મળે. તમામ પ્રકારના વાહનોની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે. તંત્રનું કહેવું છે કે આ ફેરફારનો ઉદ્દેશ્ય કુંભમાં ભીડને કાબૂમાં કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષિત સુનિશ્ચિત કરવાનો છે. શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તે તંત્રના નિર્દેશોનું પાલન કરે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થાથી બચવામાં સહયોગ કરે.
દુર્ઘટના બાદ આ મહત્વના નિર્ણય લેવાયા
🔸કુંભ ક્ષેત્રમાં સંપૂર્ણ નો-વ્હીકલ ઝોન ઘોષિત
🔸VVIP પાસ રદ કરવામાં આવ્યા
🔸કુંભ ક્ષેત્રના રસ્તા વન-વે કરવામાં આવ્યા
🔸નજીકના જિલ્લાઓના વાહનો માટે નો-એન્ટ્રી
🔸4 ફેબ્રુઆરી સુધી મોટા વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ