બજેટ 2025માં આરોગ્ય ક્ષેત્રને લઈને મહત્વની જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરી હતી. આરોગ્ય ક્ષેત્રને લઈ બજેટમાં મહત્વની જાહેરાત કરાઈ હતી, જે મુજબ 36 જીવન જરૂરી દવાઓ પરથી ડ્યૂટી ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે. કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી દવાઓની યાદીમાં 36 જીવનરક્ષક દવાઓ અને દવાઓ ઉમેરવામાં આવશે. ૩૭ વધુ દવાઓ અને 13 નવા પેશેન્ટ એસિસ્ટેન્ટ પ્રોગ્રમને બેસિક કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે. જોકે, 5 ટકાની રાહત કસ્ટમ ડ્યુટી સાથે 6 જીવનરક્ષક દવાઓ આ યાદીમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે અને તબીબી સાધનો સસ્તા થશે.
આ ઉપરાંત મેડિકલ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કરતા નાણા મંત્રીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, ‘દર વર્ષે મેડિકલ કોલેજમાં 10 હજાર નવી બેઠકો ઉમેરવામાં આવશે. આ ઉપરાંત આગામી 5 વર્ષમાં 75 હજાર વધુ બેઠકો ઉમેરવામાં આવશે. આ મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે.’
આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે, ‘આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં ડે કેર કેન્સર સેન્ટર ખોલશે. નાણાકીય વર્ષ 2025-26માં આવા 200 કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આનાથી ઘણાં ગરીબ અને મધ્યમ આવક ધરાવતા લોકોને ફાયદો થઈ શકે છે જેઓ મોંઘા કેન્સરની સારવાર પરવડી શકતા નથી.