ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે નાગપુરમાં રમાઈ હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને ચાર વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડની ટીમ 248 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી હર્ષિત રાણા અને જાડેજાએ 3-3 વિકેટે લીધી હતી. જ્યારે 249 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનિંગ શરૂઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા 2 અને જયસ્વાલ 15 રન બનાવી આઉટ થયા હતા. જોકે ત્યારબાદ ગિલ, શ્રેયસ અને અક્ષરે શાનદાર બેટિંગ કરતાં ટીમને જીત તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગિલ 96 બોલમાં 87 રન બનાવી આઉટ થયો હતો જયારે શ્રેયસ અય્યર 59 અને, અક્ષર પટેલે 52 રન બનાવ્યા હતા. આમ આ ત્રણેય બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન થકી ભારતે ચાર વિકેટે ઈંગ્લેન્ડની ટીમને હરાવ્યું હતું.