ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે પવનની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં શિયાળો પુરો થવાને આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે.. ત્યારે ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે. દરિયાકાંઠા પર હવામાન વિભાગના એલર્ટ પર નજર કરીએ તો દરિયામાં 45થી 55 કિલોમીટરની ગતિએ પવન ફુંકાશે. પ્રેશર ગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.