દિલ્હી-એનસીઆરમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઊંઘમાંથી જાગી ગયા અને ડરના કારણે પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દિલ્હીમાં હતું અને ભૂકંપની તીવ્રતા 4 માપવામાં આવી હતી.
ભૂકંપની તીવ્રતા 4 હોવા છતાં તેનું કેન્દ્ર દિલ્હીના કારણે આસપાસના વિસ્તારોમાં વધુ તીવ્ર આંચકા અનુભવાયા હતા.લોકોમાં ડર જોવા મળ્યો હતો અને તેઓ પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. દિલ્હી-એનસીઆર તેમજ પડોશી રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં ક્યાંયથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. દિલ્હી-એનસીઆર ભૂકંપ ઝોન ચારમાં આવે છે, જેના કારણે અહીં મધ્યમથી ગંભીર ભૂકંપનો ભય રહેલો છે