કેરળના મલપ્પુરમ જિલ્લાના અરીકોડમાં ફૂટબોલ મેચ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ફૂટબોલ મેચ પહેલા આતિશબાજી કરવામાં આવી હતી, જે દરમિયાન 30 જેટલા લોકો દાઝ્યા હતા. આ ઘટનાના પગલે મેચ જોવા આવેલા દર્શકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ બનાવમાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયુ નથી. રિપોર્ટ મુજબ, 30થી વધુ લોકો ફટાકડાની ઝપેટમાં આવતા દાઝી ઘયા છે, જેઓને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
https://x.com/jsuryareddy/status/1891958961898914215
મળતી માહિતી મુજબ, યુનાઈટેડ એફસી નેલ્લીકુટ અને કેએમજીમાવૂર વચ્ચે ફુટબોલ ગ્રાઉન્ડમાં મેચ શરૂ થવાની હતી, જોકે તે પહેલા જ આતશબાજી કરવામાં આવી હતી. જે દરમિયાન ઉપર તરફ છોડવામાં આવેલ રોકેટ ખોટી દીશામાં જતા રહેતા દર્શકો વચ્ચે તણખા ઉડવા લાગ્યા હતા. ઘટનામાં સૌથી વધુ ગ્રાઉન્ડ પાસે ઉભેલા દર્શકોને ઈજાઓ થઈ છે. જે તમામને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.