શું કોવિડ-19 મહામારી ફરીથી જોવા મળી શકે છે? આ પ્રશ્ન એટલા માટે થાય કારણકે ચીની વૈજ્ઞાનિકોએ હાલમાં જ ચામાચિડીયામાંથી નવો કોરોના વાયરસ શોધ્યો છે. આ અહેવાલ સામે આવતા જ દુનિયાભરના દેશોની ચિંતા વધી છે. પાંચ વર્ષ પહેલા ચીનના વુહાનથી કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાયો હતો, જેમાં લાખો લોકોના મોત થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ-19ને વૈશ્વિક મહામારી સુધી જાહેર કરી દીધો હતો. ત્યારે ચીની સંશોધકોની એક ટીમે પ્રાણીથી માણસમાં સંક્રમણ થવાની સંભાવના વાળા એક ચામાચીડિયામાંથી નવો કોરોના વાયરસ શોધ્યો છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ પ્રમાણે, HKU5-CoV-2 નામનો વાયરસ, SARS-CoV-2 જેવા જ માનવ રીસેપ્ટરનો ઉપયોગ કરતો જોવા મળ્યો, જે કોવિડ-19 માટે જવાબદાર વાયરસ હતો. આ અભ્યાસનું નેતૃત્વ જાણીતા વાયરોલોજિસ્ટ શી ઝેંગલી દ્વારા કરવામાં આવ્યું હતું. કોવિડ-19 મહામારી તેનું કારણ હોવાની શંકા છે. હાલમાં જે નવો કોરોના વાયરસ શોધાયો છે, તે પણ જાનવરોમાંથી માણસોમાં ફેલાઈ શકે છે. આ કોવિડ-19ના કારણે બનનારા વાયરસની જેમ જ માનવ રિસેપ્ટરનો ઉપયોગ કરે છે. તેવામાં સવાલ ઉઠવા લાગ્યા છે કે આ પણ શું પહેલા વાળા કોવિડ-19ની જેમ હાહાકાર મચાવશે?