ડાકોરમાં મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત સિંહાસનની નીચે આરતી ઉતારવામાં આવી હતી. વારાદારીને સિંહાસન કે તેના પાટીયા પર ન ઉભા રહેવાના આદેશ આપવામાં આવ્યા હતા.મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત સિંહાસનની નીચે આરતી ઉતારવામાં આવી હતી. વારાદારીને સિંહાસન કે તેના પાટીયા પર ન ઉભા રહેવાના આદેશ આપવામાં આવ્યા હતા.
યાત્રાધામ ડાકોરમાં સદીઓથી શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ સાથે દર્શન કરવા માટે આવતાં હોય છે.અહીં ડાકોરમાં ભગવાન રણછોડજીની સન્મુખ આરતી સિંહાસન પર ઊભા રહીને કરવામાં આવતી હતી. જોકે હવે આરતીનું સ્થાન બદલવામાં આવ્યું છે. અત્યાર સુધી સિંહાસન પરથી જ ઊભા રહી આરતી ઉતારવામાં આવતી હતી, જોકે હવેથી ણછોડજી ભગવાનની આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહીને ઉતારવામાં આવશે, જેની આજથી શરૂઆત કરવામાં આવી હતી. ડાકોર ટેમ્પલ કમિટીના નિર્ણય મુજબ હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ઉભા રહી શકાશે નહી અને નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે.