દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી આ મેચ જે ટીમ જીતશે, તે ગ્રૂપ એમાં ટોપ પર જશે અને સેમિફાઈનલમાં ગ્રૂપ બીમાં બીજા ક્રમે રહેલી ઓસ્ટ્રેલિયા ટીમ સાથે મુકાબલો કરશે.
ન્યુઝીલેન્ડની ટીમને ભારતે પ્રથમ બેટિંગ કરતાં 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. પ્રથમ પાવરપ્લેમાં જ ભારતે ત્રણ વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરે બાજી સંભાળતાં ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 249 રન બનાવી શકી હતી.