ભારત મંદિરોના દેશ તરીકે છે. અહીં મંદિરોની સંખ્યા લાખોમાં છે પરંતુ આ મંદિરો પૈકી પણ કેટલાક મંદિરોની ચર્ચા હમેંશા શ્રદ્ધાળુઓમાં રહે છે. મંદિરોની કમાણી અને તેના પર ટેક્સને લઇને હાલમાં એક રાજકીય ચર્ચા છેડાઇ ગઇ છે.
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર મંદિરોને જીએસટી બાકીના નોટીસ આપી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તિરુમાલા તિરુપતિ દેવાસ્થાનમ મંદિર સૌથી અમીર મંદિર છે. તિરુપતિ મંદિરની આવક વાર્ષિક 4774 કરોડ રૂપિયા છે. વૈષ્ણોદેવી મંદિરની આવક 683 કરોડ રૂપિયાની છે. પ્રસાદ અને ધાર્મિક કાર્યક્રમ જીએસટીથી મુક્ત છે.