અમદાવાદમાં ઇશારાના 15 દિવસીય અનડિવાઇડેડ પંજાબ મેનુમાં ખોવાયેલા સ્વાદનો આનંદ માણવાનો સ્વાદના રસિયાઓ માટે મોકો છે.
બેલોના હોસ્પિટાલિટી દ્વારા ઇનોવેટિવ ડાઇનિંગ કોન્સેપ્ટ ઇશારા એ શેફ શેરી મહેતા દ્વારા ક્યુરેટ કરાયેલું અનડિવાઇડેડ પંજાબ મેનુ રજૂ કર્યું છે. ૧૬ માર્ચથી ૩૦ માર્ચ સુધી ઇશારા, પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે ઉપલબ્ધ આ યુનિક મેનુ પ્રમાણિક સ્વાદ અને પરંપરાગત રસોઈ તકનીકો દર્શાવે છે, જે મહેમાનોને પંજાબના કાલાતીત ગેસ્ટ્રોનોમીની નજીક લાવે છે.