ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. બંનેના ડિવોર્સના સમાચારને કારણે બંને ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા અલગ થવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં હવે તેઓએ સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે. બંનેએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. હવે ગુરુવાર, 20 માર્ચે ફેમિલી કોર્ટે બંનેની છૂટાછેડાની અપીલ મંજૂર કરી દીધી છે. આ સાથે તેમનું લગ્નજીવન 4 વર્ષ અને લગભગ 3 મહિના પછી સમાપ્ત થયું.
https://x.com/ANI/status/1902648899145470011
ફેમિલિ કોર્ટે બંનેના છૂટાછેડાની અપીલ મંજૂર કરી દીધી છે.લો વેબસાઈટ બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, ધનશ્રી અને ચહલ જૂન 2022થી અલગ રહે છે.ચહલ અને ધનશ્રી સોશિયલ મીડિયા દ્વારા મિત્રો બન્યા અને પછી લગ્ન કરી લીધા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. રિપોર્ટ્સનું માનીએ તો ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા ચુકવવા પડશે. તેમાંથી તેણે 2.37 કરોડ રૂપિયા આપી દીધા છે.