કેન્દ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા ૧૦૯ કિમી લાંબા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને લઈ મહત્વના અહેવાલ સામે આવ્યા છે.અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું બાંધકામ મે ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગેજવાબ આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ‘આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. 35,984.58 કરોડનું રોકાણ પણ મળ્યું છે.આગામી જૂન, 2025 સુધીમાં 110 કિમીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેનાથી અમદાવાદથી ધોલેરા માત્ર 50 મિનિટમાં પહોંચી શકાશે.’
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, તેને 4 લેનથી વધારીને 12 લેન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, સ્થાનિક કનેક્ટિવિટી સુધારવા માટે અડાલજ ખાતેના જેવું જ ક્લોવરલીફ ઇન્ટરચેન્જ બનાવવાની યોજના છે.