6 એપ્રિલ, 2025ના રવિવારના રોજ રામ નવમીના દિવસે ગુજરાત સહિત દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે રામ નવમીને ધ્યાનમાં રાખી દેવભૂમિ દ્વારકા દ્વારકાધીશ મંદિરે ભગવાનના દર્શનનો સમય બદલાયો છે. જેમાં રામ નવમીના દિવસે સવારે 6:30 વાગ્યે શ્રીજીની મંગળા આરતી થશે.
જ્યારે સવારના 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ 9 વાગ્યાથી 10:30 વાગ્યામાં શ્રૃંગાર દર્શન થશે. આ દરમિયાન 10 વાગ્યે શ્રૃંગાર આરતી થશે. આ પછી 10:30 વાગ્યાથી બપોરના 12 સુધી દર્શન બંધ રહેશે. જ્યારે બપોરે 12 વાગ્યે ઉત્સવ આરતી થશે. જેમાં ઉત્સવ દર્શન બપોરના 12 વાગ્યથી 01:30 વાગ્યા સુધી કરી શકાશે. આ પછી બપોરે 01:30 વાગ્યાથી 05:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ સાંજના સમયે નિત્યક્રમ મુજબ મંદિરના દર્શન કરી શકાશે.