અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ ના ટીઝર રિલીઝ પછી હવે ફાઈનલી ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અભિનેતા આર માધવન અને એક્ટ્રેસ અનન્યા પાંડે પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જેમાં 1919 માં થયેલા ક્રૂર જલિયાવાલા બાગ હત્યાકાંડના વિષે દેખાડવામાં આવ્યું છે.
https://youtu.be/r-7g08INMSI?si=RPuhn9UKimXKxm2P
ફિલ્મમાં સ્ટાર્સ વકીલનું કેરેક્ટર પ્લે કરતા દેખાઈ રહ્યા છે. કેસરી ચેપ્ટર 2 ફિલ્મ 13 એપ્રિલ, 1919 ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી શરૂ થયેલી કાનૂની લડાઈ પર આધારિત છે. અક્ષય કુમાર વકીલ શંકરન નાયરની ભૂમિકા ભજવે છે, જેમણે અમૃતસરમાં “નરસંહાર” કરવા બદલ બ્રિટિશ સામ્રાજ્ય પર દાવો માંડ્યો હતો. આ હત્યાકાંડમાં ઓછામાં ઓછા 1,650 લોકો માર્યા ગયા હતા.
કેસરી ચેપ્ટર 2 માં અક્ષય કુમાર, અનન્યા પાંડે આર માધવન મુખ્ય ભૂમિકામાં છે, ફિલ્મ કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને લીઓ મીડિયા કલેક્ટિવ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કરણ સિંહ ત્યાગી અને અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મ 18 એપ્રિલે સિનેમાઘરમાં રિલીઝ થશે.