કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025, મંગળવારે થયેલા ભયંકર આતંકવાદી હુમલાને લીધે દેશભરમાં રોષનો માહોલ છે. આ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે, જયારે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
સ્વાભાવિક છે કે, ઉનાળાના વેકેશનમાં પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતાં કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા જતાં હોય છે.કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાંથી કાશ્મીર ફરવાનો પ્લાન બનાવતા ગુજરાતીઓ હવે પોતાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે.
ત્યારે આ ઘટના બનતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે, જેના કારણે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું છે. તો બીજી બાજુ ટુર ઓપરેટરોના પણ બુકિંગ કેન્શલ થવાને કારણે નવા ઓપશન આપી રહ્યા છે.હાલમાં ઉનાળું વેકેશન ચાલતુ હોવાથી મોટાભાગના લોકો આ સમયગાળામાં શિમલા અને કાશ્મીર જેવી જગ્યા પર જવાનું પસંદ કરતા હોય છે. કેટલાક પ્રવાસીઓ ટુરમાં રવાના થઈ ગયા છે,
તો કેટલાક લોકો આગામી દિવસોમાં કાશ્મીરના પ્રવાસે જવાના હતા તેઓેએ આ ઘટના બાદ ડરના કારણે બુકિંગ કેન્શલ કરાવ્યું હોવાની માહિતી છે. માહિતી પ્રમાણે હાલમાં ટુર ઓપરેટરો પ્રવાસીઓને હિમાચલ, શિમલા જેવા અન્ય સ્થળો પર પ્રવાસ કરવા માટે ઓપશન આપી રહ્યા છે