પહલગામ આતંકી હુમલા બાદ દુનિયાભરમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધનો સૂર ઉભો થયો છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપનાર પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂૂ કરી છે. ત્યાંના શાસકો ગુસ્સે છે અને ભારતને વળતી કાર્યવાહીની ધમકી આપી રહ્યા છે. સૌથી ખરાબ હાલત પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફની છે. તેમની ચિંતા અને હતાશા તેમના શબ્દોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.પાકિસ્તાનનાં હાઈ કમીશનનો સ્ટાફ ઘટાડી નાખવા હાઈ કમિશનરને આદેશ આપી દીધો છે.
સાથે સિંધુ નદીનો જળ પ્રવાહ રોકવા ભારતે લીધેલો નિર્ણય પાકિસ્તાનને ભારે પડે તેમ છે. તેથી તેને સિંચાઈ તથા પીવાનાં પાણીની પણ ખેંચ ઊભી થાય તેમ છે. દરમિયાન એવા સમાચાર છે કે શાહબાઝને તેમના મોટા ભાઈ અને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે ભારત સાથે ગડબડ ન કરવાની સલાહ આપી છે.પાકિસ્તાની અખબાર Tribune.pk અનુસાર, નવાઝે શાહબાઝ શરીફને ભારત સાથેના વણસેલા સંબંધો સુધારવા માટે રાજદ્વારી સ્તરે આ મુદ્દાને ઉકેલવાની સલાહ આપી છે. પાકિસ્તાની અખબારો અનુસાર, નવાઝે કથિત રીતે કહ્યું છે કે તે ભારત સાથે યુદ્ધ ઇચ્છતા નથી કારણ કે તે પાકિસ્તાન માટે સારું રહેશે નહીં.