1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમૂલ્ય વારસો-2 નું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ અંધ કલ્યાણ કેન્દ્ર ખાતે અમૂલ્ય વારસો-2 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી સુંદર પ્રસ્તૃતિ રજૂ કરવામાં આવી હતી.
નવી પેઢીને પણ આ વારસાને આગળ વધારવાની પ્રેરણા આપે તેવા કાર્યક્રમ રજૂ કરાયા હતા, જેમાં અંધ કલ્યાણ કેન્દ્રની બહેનો પણ જોડાઈ હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જે.કે.મોટર્સના મેનેજિંગ ડિરેક્ટર અને શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના જીયા શૈલેષ પરમાર, જાણીતી અભિનેત્રી અપુર્વા સુરાણી, અભિનેત્રી જાગૃતિ ઠાકોર અને ગાયક બંકિમ પાઠક ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાબરમતી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ ખાસ હાજર રહી ઉપસ્થિત મહેમાનોને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોને પણ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.