By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: જાણો Operation Sindoor અંગે માહિતી આપનાર કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા વિશે
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ઇન્ડિયા > જાણો Operation Sindoor અંગે માહિતી આપનાર કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા વિશે
ઇન્ડિયાપોઝિટિવ સ્પેશિયલ

જાણો Operation Sindoor અંગે માહિતી આપનાર કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા વિશે

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: May 7, 2025 2:38 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 4 Min Read
Share
SHARE

ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હુમલો કર્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં અને આતંકવાદીઓ પાસેથી બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. ૭ મેના રોજ ભારતીય સેનાની બે મહિલા અધિકારીઓ દેશની સામે આવી અને આ સમગ્ર કાર્યવાહી વિશે માહિતી આપી. આ સાથે ભારતે એ સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે કે ભારતની બહાદુર દીકરીઓ ફક્ત સરહદોનું રક્ષણ જ નથી કરી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનો અવાજ પણ બની રહી છે.ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને આ જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા. આ બંને  મહિલા અધિકારીએ ‘Operation Sindoor” અંગે દેશ અને પત્રકારો સામે સમગ્ર વિગત રજૂ કરી.

બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરી વિશ્વ સમક્ષ રજૂ કરી અને ભારતીય સેના પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદને કેવી રીતે ખતમ કરી રહી છે તેની માહિતી આપી. આ બે મહિલા અધિકારીઓની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થઈ રહી છે, અને દરેક ભારતીય તેમની પ્રશંસા કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે આ બે અધિકારીઓ કોણ છે

કર્નલ સોફિયા કુરેશી

કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં એક એવું નામ છે, જે જુસ્સા, મહેનત અને નેતૃત્વનું ઉદાહરણ બની ગયું છે. ૩૫ વર્ષીય સોફિયા કુરેશી હાલમાં પહેલી મહિલા અધિકારી છે, જેમણે બહુ-દેશીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની આખી ટુકડીનું નેતૃત્વ કર્યું છે.વર્ષ 2016 માં, તે એક્સરસાઇઝ ફોર્સ 18 મિલિટરી ડ્રીલનો ભાગ બન્યા હતા અને તેનું નેતૃત્વ પણ કર્યું. એટલું જ નહીં, ગુજરાતના સોફિયા કુરેશી એક લશ્કરી પરિવારમાંથી આવે છે અને તેમની પાસે બાયોકેમિસ્ટ્રીમાં ડિગ્રી પણ છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.

વર્ષ 1981માં ગુજરાતના વડોદરામાં જન્મેલા સોફિયાએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ વર્ષ 1999માં તેઓ ઇન્ડિયન આર્મીમાં જોડાયા. તેઓ સિગ્નલ કોર્પ્સમાંથી છે, જે સેનાના સંદેશાવ્યવહાર અને માહિતી પ્રણાલી માટે જવાબદાર છે.વર્ષ 2006 માં, તેમને યુએન પીસકીપિંગ મિશન હેઠળ કોંગોમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા અને 6 વર્ષથી વધુ સમયથી શાંતિ મિશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને પીસકીપિંગ ટ્રેનિંગ ગ્રુપમાંથી પસંદ કરવામાં આવ્યા હતા, જે આંતરરાષ્ટ્રીય મિશન માટે શ્રેષ્ઠ તાલીમ પૂરી પાડે છે. તેમનો સેના સાથે જૂનો સંબંધ છે. તેમના દાદા સેનામાં હતા અને તેના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ઓફિસર છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ભારતીય વાયુસેનામાં હેલિકોપ્ટર પાઇલટ તરીકે સેવા આપે છે. 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને વર્તમાન સમયના શ્રેષ્ઠ વિંગ કમાન્ડરોમાંના એક માનવામાં આવે છે. જેમને લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો ઉત્તમ અનુભવ છે.

આ ઉપરાંત વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ચિત્તા, ચેતક જેવા લડાયક હેલિકોપ્ટર ઉડાવવામાં પણ કુશળતા ધરાવે છે. વાયુસેનામાં જોડાયાના 13 વર્ષ પછી વ્યોમિકા સિંહને વિંગ કમાન્ડરનું પદ મળ્યું અને 18 ડિસેમ્બર 2017 ના રોજ તેઓ વિંગ કમાન્ડર બન્યા. તેમની પાસે હાલમાં 2,500 કલાક ઉડાનનો અનુભવ છે, જે તેમને સૌથી સક્ષમ બનાવે છે.

વ્યોમિકા સિંહને 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય વાયુસેનામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે 21મા SSC (મહિલા) ફ્લાઈંગ પાયલટ કોર્સ હેઠળ તાલીમ મેળવી હતી. આ શોર્ટ સર્વિસ કમિશન કોર્સ છે જે ખાસ કરીને મહિલા અધિકારીઓ માટે જ બનાવવામાં આવ્યો છે. વ્યોમિકા સિંહે અનેક બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની ઓપરેશનલ ભૂમિકા ઉપરાંત, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઉચ્ચ સહનશક્તિ મિશનમાં પણ ભાગ લીધો છે. 2021માં, તે 21,650 ફૂટની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ મણિરંગ પર ત્રિ-સેવાઓની મહિલા પર્વતારોહણ અભિયાનમાં જોડાયા હતા. આ પ્રયાસને વાયુસેનાના વડા સહિત વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ માન્યતા આપી હતી.

You Might Also Like

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

TAGGED: #indianarmy, #operationsindoor, #pahalgamattack, #pakistan
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

ઈઝરાયલના હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈરાન, વળતા પ્રહાર કરી 100થી વધુ ડ્રોન છોડ્યા

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?