બ્રિટિશ નાગરિકતા હવે સરળતાથી મળશે નહીં. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સોમવારે ઇમિગ્રેશન પર એક કડક નવી નીતિની જાહેરાત કરી હતી. બ્રિટનની નાગરિકતાને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે બ્રિટિશ નાગરિકતા હવે સરળતાથી મળશે નહીં. હવે પ્રવાસીઓ માટે નાગરિકતા મેળવવા માટેનો સમયગાળો પાંચથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સોમવારે ઇમિગ્રેશન પર એક કડક નવી નીતિની જાહેરાત કરી હતી. આ પગલાનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં ઇમિગ્રેશનના આંકડામાં નોંધપાત્ર ઘટાડો સુનિશ્ચિત કરવાનો છે. આ નવી નીતિ ભારતીયો સહિત વિશ્વભરના ઇમિગ્રન્ટ્સને અસર કરશે. સંસદમાં પ્રવાસીઓ પરના બહુપ્રતિક્ષિત શ્વેતપત્રની રજૂઆત પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં સ્ટાર્મરે અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટી સરકાર પર સરહદોને ખુલ્લી રાખવાનો પ્રયોગ કરીને “ગડબડ” કરવાનો આરોપ મૂક્યો હતો.