આજની લાઇફસ્ટાઇલમાં ઘણા લોકો બ્રેકફાસ્ટ દરમિયાન હેલ્ધી વસ્તુઓને મહત્વ આપવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પ્રોટીન, ફાઈબર અને કેલ્શિયમથી ભરપૂર ઓટ્સ ખાવાનું પસંદ કરે છે. ઓટ્સને ખાવાની ઘણી રીતો છે. એટલે કે, નાસ્તા માટે ઓટ્સ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે, પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ, નહીંતર તેમના માટે નુકસાન નોતરી શકે છે.
બ્લડ સુગર લેવલ વધી શકે છે
જો તમે પણ રોજ મોટી માત્રામાં ઓટ્સ ખાવ છો તો જાણી લો કે આ પણ તમારા બ્લડ સુગર લેવલનું કારણ બની શકે છે. તેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સમસ્યાનું કારણ બની શકે છે. ઉપરાંત, જો તમે વજન ઘટાડવા માંગો છો તો તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
થઈ શકે છે એલર્જી
ઓટ્સથી એલર્જી બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને થઈ શકે છે. ઓટ્સ એલર્જીના લક્ષણોમાં ચામડી પર ફોલ્લીઓ, જઠરાંત્રિય સમસ્યાઓ અને શ્વસન સંબંધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેથી, ઓટ્સથી એલર્જી ધરાવતા લોકોએ ઓટ્સ ઉત્પાદનોનું સેવન ટાળવું જોઈએ.
પાચનતંત્રને લગતી થઈ શકે છે સમસ્યા
જો તમને પણ અવારનવાર પાચન તંત્રને લગતી સમસ્યા રહેતી હોય તો ઓટ્સ ખાવું મુશ્કેલીને આમંત્રણ આપવાથી ઓછું નથી. તે જવ, ઘઉં અને રાઈ જેવા કુદરતી રીતે ગ્લૂટેન ફ્રી અનાજની જેમ પ્રોસેસ કરવામાં આવે છે જે સીલિએક રોગ અથવા ગૈર સીલિએક ગ્લૂટેન સેન્સિટિવિટી ધરાવતા લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે. આ ઉપરાંત, તેમાં હાજર ફાઇબર પણ ગેસ અને એસિડિટી તેમજ પેટનું ફૂલવું જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
કિડની અને ડાયાબિટીસના દર્દીઓ ખાવાનું ટાળે
ઓટ્સમાં ફોસ્ફરસની માત્રા વધારે હોય છે, જે કિડની માટે હાનિકારક થઈ શકે છે, તેથી કિડનીની બીમારીવાળા લોકોએ ઓટ્સ ખાવાનું ટાળવું જોઈએ. ઓટ્સમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ રહેલું છે જે બ્લડ શુગરની માત્રાને વધારી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ ઓટ્સ ખાવા જોઈએ.