સાકેતવાસી જગદ્ગુરુ શ્રી રામાનંદાચાર્ય, સ્વામીશ્રી રામાચાર્ય મહારાજજીનાં આશિર્વાદથી શ્રી રામજી મંદિર-ફતેહપુરા, પાલડી દ્વારા સંચાલિત જય શ્રી રામ પાઠશાળામાં એક વર્ષ પૂર્ણ થયાનાં ઉપલક્ષ્યમાં બે દિવસનાં ચિત્રકલા વર્ગનું આયોજન તા. ૧૭-૫-૨૦૨૫ અને તા. ૧૮-૫-૨૫ના રોજ કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અર્પણાબેન પંચોલીએ હાજરી આપી હતી.
શ્રીમતી ગાર્ગીબેનદેસાઈએ પાઠશાળાનાં બાળકોને ચિત્રકલા પોથી અને રંગ આપ્યા હતા.
શિક્ષક શ્રી તૃપ્તિબેન રાવલે આ બે દિવસનાં વર્ગનું આયોજન કર્યુ હતું. શ્રી રામજી મંદિરનાં મહારાજ આચાર્યશ્રી શિવાકાંત મહારાજે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.