ટ્રમ્પ સરકારે ભારત સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવાનું શરૂ કર્યું છે તે કહેવું કંઈ ખોટુ નથી. કારણકે ભારતમાં અમેરિકાના દૂતાવાસે મંગળવારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કડક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં ભારતીય વિદ્યાર્થીઓને ખાસ ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ તેમના વિઝાની શરતોનું કડક પાલન કરે, નહીં તો તેમને અમેરિકાથી પાછા મોકલવામાં આવી શકે છે.
મળતી માહિતી મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશી નાગરિકો પ્રત્યેની આકરી નીતિના કારણે વિદેશી વિદ્યાર્થીઓ પર પણ સંકટની તલવાર લટકી રહી છે. તેમાં આજે મંગળવારે ટ્રમ્પ પ્રશાસને ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ચેતવણી આપતી વધુ એક નવી નોટિફિકેશન જાહેર કરી છે.
https://x.com/USAndIndia/status/1927242924535734629
ભારતમાં યુએસ એમ્બેસી અનુસાર, અમેરિકામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઈન્સ્ટીટ્યૂટને જાણ કર્યા વિના ગેરહાજર રહ્યા તો તેમના વિઝા રદ થઈ શકે છે. તેમજ ભવિષ્યમાં અમેરિકાના વિઝા માટે અપ્લાય કરી શકશે નહીં. તેણે સત્તાવાર જાહેરાત કરી છે કે, તમારી ઈન્સ્ટીટ્યૂટને જાણ કર્યા વિના જો તમે ક્લાસ ચૂકી ગયાં, ગેરહાજર રહ્યા અથવા પ્રોગ્રામ છોડી દીધો તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે છે. તેમજ ભવિષ્યમાં અમેરિકાના વિઝા માટેની લાયકાત પણ ગુમાવી શકો છો. તમારા વિઝાની શરતોનું હંમેશા પાલન કરો તેમજ વિદ્યાર્થી તરીકેનો હોદ્દો જાળવી રાખો.