રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 18 વર્ષે આઈપીએલ ચેમ્પિયન બનતાં ચોમેર ઉત્સાહ ફેલાયો હતો. વિજય ઉજવણી દરમિયાન બેંગલુરુ નાસભાગ દુર્ઘટના સર્જાતાં RCB ની જીત માથે કલંક લાગ્યું છે. આ કરુણાંતિકામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત નીપજ્યાં છે. આ ઘટનામાં 47 જેટલા લોકો ઘાયલ થયા છે.
ત્યારે કર્ણાટક પોલીસે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), DNA ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ ભાગદોડ કેસમાં FIR નોંધી છે. વિક્ટ્રી પરેડ દરમિયાન તેમના પર ગુનાહિત બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
FIRમાં જણાવાયું છે કે ભાગદોડની ઘટના જવાબદાર એજન્સીઓની અરાજકતા અને બેદરકારીને કારણે થઈ હતી. બીજી તરફ, આ મામલાની સુનાવણી હાઇકોર્ટમાં થઈ હતી. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશી બેન્ચે રાજ્ય સરકારને અકસ્માત અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. હવે આગામી સુનાવણી 10 જૂને થશે.