અભિનેતા અક્ષય કુમાર દાન કરવા અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે જાણીતા છે. કોરોના સમયે પણ તેમણે પીએમ ફંડમાં રૂ. 25 કરોડનું દાન કર્યું હતું. આ દાન કરવા તેમણે પોતાની એફડી તોડી હોવાના પણ અહેવાલો હતા. ત્યારે અભિનેતાએ હવે અયોધ્યાના વાનરો (કપિરાજ) માટે દાન કર્યું છે. દિવાળી પહેલા રામ જન્મભૂમિ અયોધ્યાના કપિરાજ માટે 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે.
રિપોર્ટ મુજબ અક્ષય કુમારે કપિરાજના ભોજન માટે આ દાન આપ્યું છે. મળતી માહિતી મુજબ, બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે અયોધ્યાના વાનરોના ભોજન અને દેખભાળ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યુ હોવાના મીડિયા અહેવાલ છે. આ દાન તેમણે પોતાના માતા-પિતા હરિઓમ ભાટીયા અને અરૂણા ભાટિયા અને સસરા અને સુપરસ્ટાર રાજેશ ખન્નાના નામે કર્યું છે. અહીંનું એક ટ્રસ્ટ વાનરોના ખાવાપીવાનું ધ્યાન રાખે છે. જેથી આ દાન ટ્રસ્ટને આપવામાં આવ્યું છે. અભિનેતા અક્ષયની મૂંગા પ્રાણીઓ માટેની આ મદદને સૌ કોઈ વખાણી રહ્યા છે.