રિઝર્વ બેંકે ગયા સપ્તાહમાં રેપો રેટમાં 50 બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યા બાદ અનેક બેંકોએ તેમના ધિરાણ દરમાં ઘટાડો કર્યો છે. પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, યુકો બેંક અને બેંક ઓફ ઇન્ડિયા તેમજ ખાનગી સેક્ટરની બેંક દ્વારા તેમના લેન્ડિંગ રેટમાં ઘટાડો કર્યો છે. અત્રે નોંધનીય છે કે રેટ નક્કી કરતી મોનીટરી પોલીસી કમિટીએ હાલમાં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. પંજાબ નેશનલ બેંકે તેના રેપો લિન્ક લેન્ડિંગ રેટ 8.85 ટકાથી ઘટાડીને 8.35 ટકા કરી દીધા છે. રેટ સોમવારથી અમલી બની જશે.