અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર ઈન્ડિયામાં સવાર 241 લોકોના મોત થયા હતા. ત્યારે ટાટા ગ્રુપ બાદ હવે એર ઈન્ડિયાએ આ દુર્ઘટનામાં મોતને ભેટેલ યાત્રિકોના પરિવારો અને જીવીત બચેલ એકમાત્ર શખ્સ માટે આર્થિક સહાય જાહેર કરી છે.
https://x.com/AHindinews/status/1933868942348501272
એરલાઈન્સે દુર્ઘટનાના પીડિત પરિવારોને તાત્કાલીક રાહત આપવા માટે 25-25 લાખ રૂપિયાની વચગાળાની સહાય આપવાની આજે સત્તાવાર જાહેરાત કરી છે.આ પહેલા ટાટા ગ્રુપે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દેરક વ્યક્તિના પરિવારને રૂ. 1 કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. એટલે કે એર ઈન્ડિયાએ જાહેર કરેલ મદદની રકમ ટાટા સન્સ તરફથી પહેલા જાહેર કરવામાં આવેલા 1 કરોડ ઉપરાંત હશે.