ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ટીમ આ સિરીઝ પહેલાથી હારી ચુકી છે, હવે આ ત્રીજી મેચમાં જીત મેળવી ટીમ શાખ બચાવવાનો પ્રયાસ કરશે.
ત્યારે આ ત્રીજી ટેસ્ટને લઈ ભારતીય ટીમમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.આ મેચ 1,નવેમ્બરથી રમાશે. ઝડપી બોલર હર્ષિત રાણાને ન્યૂઝીલેન્ડ સામે મુંબઈ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.
જો કે ભારતીય ટીમ આ શ્રેણી પહેલા જ હારી ચૂકી છે. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. 12 વર્ષમાં આ પ્રથમ વખત હતું જ્યારે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારી છે. વાસ્તવમાં હર્ષિત રાણાને મુંબઈમાં રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે અગાઉ પણ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો હતો પરંતુ બાદમાં તેને રણજી ટ્રોફી માટે રીલિઝ કરાયો હતો. જો કે હવે તે ફરીથી ટીમ સાથે જોડાયો છે.