દિવાળી પર્વ સાથે અનેક પરંપરા જોડાયેલી છે. સાવરકુંડલામાં નાવલી નદીનાં કિનારે ઇંગોરિયા યુદ્ધ ખેલાય છે.સાવરકુંડલા ગામ વચ્ચે એક નાવલી નદી આવેલી છે, જેથી સાવર અને કુંડલા બને અલગ અલગ થાય છે. સાત દાયકા જૂની પરંપરા દિવાળીના દિવસે યોજવામાં આવે છે. આ પરંપરા મુજબ દિવાળીના દિવસે ખાસ પ્રકારના ફટાકડાથી યુદ્ધ ખેલાય છે. ગુજરાતમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઇંગોરીયા યુદ્ધ યોજાય છે જે છેલ્લા 71 વર્ષથી આ યુદ્ધ ચાલ્યું આવે છે. હાલના સમયમાં આ દિવાળીના યુદ્ધ માટે સંપૂર્ણ તૈયારીઓ યોદ્ધા દ્વારા કરવામાં આવી રહી છે. સર્વપ્રથમ જોઈએ તો ઇંગોરિયા યુદ્ધનું આ નામ છે જે સાવર અને કુંડલા વચ્ચે દિવાળીના દિવસે ઇંગોરિયાના ફટાકડા દ્વારા યોજાઈ છે યુદ્ધ યોજાય છે, આથી તેને ઇંગોરિયાનું યુદ્ધ કહેવામાં આવે છે. જેને ઈંગોરીયાની લડાઈ પણ કહેવામાં આવે છે.
જાણો શું છે ઇંગોરિયા
ઇંગોરિયા એટલે એક ઝાડ ઉપર થતું ફળ, આ અંગોરીયાને ઝાડ ઉપરથી એક માસ પૂર્વે યોદ્ધાઓ દ્વારા આ ફળને મોટી માત્રામાં તોડીને ઘરે લાવવામાં આવે છે, ત્યારબાદ તેને સૂકવી દેવામાં આવે છે. ત્યારબાદ આ અંગોરીયાની અંદર દર પાડી અને દારૂખાનું ભરી અને એક પ્રકારના ફટાકડા તરીકે તૈયાર કરવામાં આવે છે. હાલ જંગલ વિસ્તારની અંદર ઇંગોરિયાના વૃક્ષ ન મળતવાથી ઈંગોરિયાનું સ્થાન કોંકડાએ લીધું છે. હાલ તમામ વ્યક્તિઓ દ્વારા ઈંગોરીયાની જેમ જ કોકડા તૈયાર કરવામાં આવે છે. જેથી હવે ઇંગોરિયાની જગ્યાએ કોકડાએ સ્થાન લીધું છે.